પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના | Pradhan Mantri Matru Vandana Yojana [2024]
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ભારત સરકાર દ્વારા
ચલાવવામાં આવતી એક મહત્વની સમાજ કલ્યાણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગર્ભવતી અને
સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમના અને તેમના બાળકના
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે.
આ આર્ટીકલમાં
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વર્ષ 2017 થી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને હજુ પણ મહિલાઓ આંગણવાડી કેન્દ્ર દ્વારા ઑફલાઇન અથવા ઑનલાઇન અરજી કરીને આ યોજનાનો લાભ લઈ રહી છે. આ યોજના દૈનિક મજૂરી કરતી મહિલાઓ માટે એક ભેટ છે, જેના હેઠળ તેમને ગર્ભાવસ્થા દરમિયાન કામ પર જવું પડતું નથી અને તેમને કોઈ નુકસાન થતું નથી, કારણ કે આ યોજના હેઠળ સરકાર સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને 6,000 રૂપિયા આપે છે. પૌષ્ટિક ખોરાક અને અન્ય દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે 10,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.આ યોજના હેઠળ, સરકાર ગર્ભવતી મહિલાઓનું પ્રિ-નેટલ ચેકઅપ મફત કરે છે અને જીવંત અને સ્વસ્થ બાળકના જન્મ પર નાણાકીય લાભ આપે છે. "પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" હેઠળ મળેલી સહાયની રકમ લાભાર્થી મહિલાઓના બેંક ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારે આશા વર્કર દ્વારા અથવા યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના મુખ્ય ઉદ્દેશો:
- મૃત્યુદર ઘટાડવો: ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થાય.
- સ્તનપાનને પ્રોત્સાહન: માતાઓને સ્તનપાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- પૂર્ણ ગર્ભાવસ્થા: મહિલાઓને પૂર્ણ ગર્ભાવસ્થા પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- કુપોષણ ઘટાડવો: બાળકોમાં કુપોષણ ઘટે.
- સ્ત્રીઓનું સશક્તિકરણ: સ્ત્રીઓનું આર્થિક અને સામાજિક સશક્તિકરણ થાય.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના મુખ્ય લાભો:
- આર્થિક સહાય: સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને નિયમિત અંતરાલે નાણાકીય સહાય આપવામાં આવે છે.
- સ્વાસ્થ્ય સંભાળ: માતાઓને પ્રોત્સાહિત કરે છે કે તેઓ નિયમિતપણે આરોગ્ય તપાસ કરાવે અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓનો લાભ લે.
- કુપોષણ ઘટાડવું: માતા અને બાળકમાં કુપોષણને રોકવામાં મદદ કરે છે.
- શિશુ મૃત્યુદર ઘટાડવો: માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુધરશે જેના કારણે શિશુ મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ:
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને કુલ 6000 રૂપિયા જેટલી આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.- પ્રથમ હપ્તો: સગર્ભાવસ્થા દરમિયાન નોંધણી કરાવ્યા બાદ.
- બીજો હપ્તો: બાળકના જન્મ પછી.
- ત્રીજો હપ્તો: બાળકના રસીકરણ પછી.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે જરૂરી દસ્તાવેજો:
યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બેંક પાસબુક
- ગર્ભાવસ્થાનું પ્રમાણપત્ર
- આયુષ્યમાન ભારત કાર્ડ (જો હોય તો)
- મતદાર ઓળખપત્ર (જો હોય તો)
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે અરજી કેવી રીતે કરવી:
- તમારા નજીકના આંગણવાડી કેન્દ્રમાં જઈને ત્યાંની આશા કાર્યકર અથવા આંગણવાડી સેવિકાને મળો.
- તમે જે દવાખાનેમાં ગર્ભાવસ્થાની નોંધણી કરાવી છે ત્યાં જઈને પણ અરજી કરી શકો છો.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :
- ભારતીય નાગરિક: લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
- પ્રથમ બાળક: આ યોજના પ્રથમ જીવિત બાળક માટે જ લાગુ પડે છે.
- આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવેલ: લાભાર્થી આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ હોવી જોઈએ.
- બેંક ખાતું: લાભાર્થી પાસે પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે.
- આધાર કાર્ડ: લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પોર્ટલ/વેબસાઈટ :
- મહિલા અને બાળ વિકાસ વિભાગ : https://wcd.gujarat.gov.in/index_guj.html
- આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 7998799804
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માહિતી Download:
આ યોજનાના અમલીકરણ માટે સરકારી ઠરાવ નીચે મુજબ છે.પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ: પ્રધાનમંત્રી માતૃ વંદના :
પ્રશ્ન-1 : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કોના માટે છે?
જવાબ : સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે
પ્રશ્ન-2 : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
જવાબ : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
પ્રશ્ન-3 : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં કેટલી સહાય મળવા પાત્ર છે?
જવાબ : 6000/- રૂપિયા
પ્રશ્ન-4 : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં સહાય કેટલા હપ્તામાં ચૂકવવામાં આવે છે?
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રધાનમંત્રી માતૃ વંદના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation